Navajivanno Akshardeh-101 Book Reviews Special Issue (નવજીવનનો અક્ષરદેહ-૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક)
About The Book
જાન્યુ. ફેબ્રુ. ૨૦૧૩માં ‘नवजीवनનો અક્ષરદેહ’ સામયિક વાટે ગાંધીસાહિત્યની વનરાજીમાં પહેલું પગલું માંડ્યું ત્યારે અણસાર સુધ્ધાં નહોતો કે એકાવનની સફર આમ જ કપાઈ જશે. આ લાગણી જેટલી સંપાદકની તેટલી જ નવજીવન મુદ્રણાલય અને પ્રકાશન મંદિર સાથે સંકળાયેલા સૌની બની રહી છે. ત્યારે ગાંધીજી જેમનાં લખાણોથી પ્રભાવિત થયા હોય અને જેઓ ગાંધીજીથી પ્રભાવિત થયા હોય—રસ્કિન, ટૉલ્સ્ટૉય, હ્યૂગો, ટાગોર, નેહરુ, ટોફલર, કા.કા., કિશોરલાલ, નરહરિ પરીખ, જુગતરામ દવે, મામાસાહેબ ફડકે, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ અને નાની પાલખીવાલા— એવી અનેક વિભૂતિઓના વિચારવિશ્વને જાતે જ ખોલીને તેમના સુધી લઈ જવા પ્રેરતો 101 પુસ્તકોના પરિચયનો વિશેષાંક.....